રાજકોટ શહેર રાત્રે ૧૦ થી સવારે ૫ સુધી કરફ્યુ દરમિયાન કામ વગર લપાતા-છુપાતા બહાર નિકળનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

રાજકોટ,

રાજકોટ શહેર જીલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. તેને ઘટાડવા માટે રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર છેલ્લા ઘણા સમયથી કમર કસી રહ્યું છે. જે સંદર્ભે જીલ્લા કલેકટર રેમ્યા મોહને આજે તમામ પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને પેટ્રોલીંગના કડક આદેશ કર્યા છે. જીલ્લા કલેકટરની સૂચના મુજબ હવે પ્રાંત અધિકારીઓ અને મામલતદારો પોતાના વિસ્તારમાં પોલીસ વિભાગ તેમજ અન્ય સરકારી વિભાગોને સાથે રાખીને સઘન પેટ્રોલીંગ કરશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment